ગુજરાતી શુભ સવાર સુવિચાર | Suvichar text SMS in Gujarati
ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નહીં પરંતુ આપણું કરેલું (કર્મ) નોંધાય છે.
મતભેદ એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોચી લાગણીઓ ને કોતરી નાખે છે.
પાણી અને વાણી નો યોગ્ય રીતે ઉપયોગ થાય તો ન્યાલ કરે, અન્યથા પાયમાલ કરે.
બીજાનું સુખ જોઇને દુ:ખી થનારો ક્યારેય સુખી થઈ શકતો નથી.
જીવનમાં નિષ્ફળતા બે કારણોથી મળે છે.
વગર વિચારે કરેલ કામથી અને...
માત્ર વિચારતા જ રહીને ન કરેલાં કામથી
સફળતા ક્યારેય કાયમી હોતી નથી, નિષ્ફળતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.
હૃદય પર કોતરી રાખજો: વર્ષનો દરેક દિવસ સર્વોત્તમ દિવસ છે.
ઈર્ષાળુઓ તમને પાણી પર ચાલતા જોઇને પણ એમ જ કહેશે કે...
આને તો તરતાં પણ નથી આવડતું.
ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો...
આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી.
માત્ર પોતાનો જ ધર્મ સૌથી ઊંચો છે એ સાબિત કરવા માટે માણસ સૌથી નીચે પડી ગયો છે.
નથી ની ચિંતા છોડો, છે નો આનંદ માણો.
જીવન માં સુખી થવું હોય તો, કોઈને શિખામણ ના આપવી,
બુદ્ધિશાળી ને તેની જરૂર નથી અને ગાંડા માનવા ના નથી.
જે પ્રગટે છે તે અજવાળું કરે છે પણ...
જે બળે છે એ માત્ર રાખ કરે છે
![]() |
Good morning Gujarati suvichar |
નવરા બેસવું પણ...
નબળા વિચારો વાળા સાથે ન બેસવું
બધા જ લોકોથી આપણે કંઇક શીખવાનું છે.
સારા લોકો પાસે થી, શું કરવું જોઇએ તે અને...
ખરાબ લોકો પાસે થી, શું નહીં કરવું જોઈએ તે
સત્યના મહત્વનું ઉદાહરણ એ જ છે કે...
જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે.
પરિણામ મધ 🍯 જવું મીઠું જોઈતું હોય તો...
મધમાખી 🐝 ની જેમ સંપી ને રહેવું પડે
વખાણોના પુલ નીચેથી જ... મતલબ ની નદી વહેતી હોય છે
જ્ઞાન થી શબ્દ સમજાય અને... અનુભવ થી અર્થ
કિંમત બંનેની ચૂકવવી પડે છે.
બોલવાની પણ અને...
ચૂપ રહેવાની પણ
હંમેશા યાદ રાખજો ભુતકાળ માં આંટો મરાય, રહેવાય નહી.
પગરખા,પહેરવેશ અને પરીચિતો, જો વારંવાર દુઃખી કરે, તો સમજી લેવું કે તે આપણા માપના નથી.
સફળ લોકો બીજાને મદદ કરવાની તક શોધે છે,
જ્યારે અસફળ લોકો તેમાં પોતાનો ફાયદો શોધે છે.
ખરાબ સમયમાં સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે અને કમજોર વ્યકિત બહાનું.
કોઈના સંસ્કાર અને ચારિત્ર્ય નું પરીક્ષણ કરવા માંગતા હોવ તો એને સત્તા આપો.
ઝેરનો પ્રશ્ન જ ક્યાં છે, ઝેર તો હું પી ગયો,
બધાને એક જ વાંધો છે કે હું કેવી રીતે જીવી ગયો.
જ્યારે તમે કોઈની સાથે ખાનગીમાં ખુશ/નારાજ છો ત્યારે...
તમારે તેને Social Media પર સાબિત કરવાની જરૂર નથી.
પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની વાહ વાહ ની જરૂરત હોતી નથી.
સત્ય બધાને સાંભળવું ગમે છે, માત્ર એ પોતાના વિશે ન હોવું જોઈએ.
આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને...
બાકીની અડધી નવી પેઢીને સમજાવવામાં જાય છે.
વ્યક્તિનું અડધું સૌંદર્ય એના મેસેજ માં હોય છે.
જીંદગી ની સૌથી મોટી બચત લોકોના દિલમાં તમે બનાવેલી જગ્યા છે.
મેલાં ને ઢંગધડા વિનાનાં કપડાંથી જો આપણને શરમ આવતી હોય તો પછી...
મેલાં ઢંગધડા વિનાનાં વિચારોથી તો આપણે સવિશેષ શરમાવું જોઈએ.
બીજાની નજરમાં જેવા દેખાવા ઈચ્છો છો તેવા જ બનવાનો પણ પ્રયત્ન કરો.
માણસ પણ ગજબ છે.
જે સંબધ છે તેની કદર નથી કરતો અને...
નવા સંબધ બાંધવા અધીરો બને છે.
આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.
ઉંમરથી માન જરૂરથી મળે છે પણ...
આદર તો વ્યવહારથી જ મળે છે
વાત અને મુલાકાત હંમેશા ટુંકમાં પતાવો,
માન વધશે અને વજન પણ પડશે
પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે:
કંટાળો, કુટેવ અને જરૂરિયાત.
કાળો રંગ બધાને ગમે છે જ્યાં સુધી એ પોતાની ચામડીનો ના હોય.
ઘણી વખતે વ્યકિતની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે
ધર્મ તો ફક્ત રસ્તો જ બતાવે છે.
મુકામ પર તો માત્ર કર્મ જ પહોચાડે છે
જે લોકો તમારી સાથે બોલવાનું બંધ કરશે.
એ લોકો તમારા વિશે બોલવાનું શરૂ કરશે.
પુસ્તકો રોજ નથી લખાતા છાપા રોજ છપાય છે એટલે જ...
એક કબાટમાં સચવાય છે અને બીજું પસ્તીમાં વેચાય છે.
સમાધાન એટલે જીવનના બધા જ પ્રશ્નો પરનું પૂર્ણવિરામ.